રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ની અછત ઉભી ન થાય એ માટે 2500 લીટરની ઓકસીજન ટેન્ક મુકાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના દરદીઓને ઓક્સિજનની કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્યતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની ટેન્ક આવી પહોંચી છે જેથી દરદીઓને સારવારમાં હવે રાહત રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જે ઓકસીજન ટેન્કો ઉપલબ્ધ કરાઇ છે તેમા ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હાલ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here