નર્મદા જિલ્લામાં આજરોજ કુલ 6 કેસો નોધાતા પોઝિટિવ દર્દીનો આંક 325
રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ
નર્મદા જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ કેસોના મામલે થોડી રાહત રહી હતી પોઝિટિવના દર્દીઓની સંખ્યા સિંગલ ડિજીટ ઉપર માત્ર 6 ની નોધાઇ હતી, જે સાથે જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની કુલ સંખ્યા 325 ઉપર પહોંચી હતી.
રાજપીપળામાંથી આજે પણ પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેમાં કાછીયાવાડ વિસ્તારમાંથી લાગલગાટ કેસો મળી આવવાનો સીલસીલો આજે પણ ચાલુ જ રહ્યો હતો. દરબાર રોડની નવી એન્ટરી થઇ છે આ ઉપરાંત આરબ ટેકરામાંથી પણ પોઝિટિવના દર્દીઑ મળી આવ્યા છે. આ ઉપરાંત જીલ્લાના ગુરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની અને આમદલા ખાતેથી પણ એક એક કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. માગરોલ ખાતેથી પણ એક પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આજરોજ જેમના સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ અને પોઝિટિવ આવ્યા તેમાં 1 ) ધ્રુવકુમાર અશોકભાઈ માછી સડક ફળીયા, માગરોલ 2 ) અબ્દુલાખાન દિલાવરખાન પઠાણ આરબટેકરા રાજપીપળા 3 ) પ્રીતિબેન સરવેશભાઇ ચતુરવેદી દરબારરોડ રાજપીપળા 4 ) હરકિશન ચંદુલાલ કાછીયા કાછીયાવાડ રાજપીપળા 5 ) સરજના રાજેન્દ્રભાઇ વસાવા કેવડીયા કોલોની 6 ) ચિરાગ અશોક તડવી આમદલા નાઓનો સમાવેશ થાય છે.
પોઝિટિવ આવતા તમામ ને સારવાર અર્થે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 119 પોઝિટિવ દર્દીઓ હાલ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.