પાવાગઢ,(પંચમહાલ) રમેશ રાઠવા :-
નાયબ પોલીસ મહાનીરીક્ષશ્રી એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબશ્રી પંચમહાલ – ગોધરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.એ.રાઠોડ સાહેરબશ્રી નાઓ તરફથી મળેલ માર્ગદર્શન મુજબ પો.સ.ઇ શ્રી આર.જે.જાડેજા પાવાગઢ પો.સ્ટેનાઓને માહીતી મળેલ કે . પાવાગઢ પો.સ્ટે . ભાગ એ ગુ.૨.નં. ૪૩/૨૦૨૨ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪ ( ૩ ) પ ( સી ) તથા ઇ.પી.કો કલમ ૫૦૪ ૫૦૬ ( ૨ ) ૧૧૪ મુજબના કામનો નાસતો ફરતો આરોપી ગોવિંદભાઇ મોહનભાઇ બારીયા રહે અરાદ તા.હાલોલનાઓ અરાદ ગામે હોય જેથી પો.સ.ઇ આર.જે.જાડેજા સાહેબ તથા હે.કો રાજેશભાઇ તથા પો.કો કેતનભાઇ તથા પો.કો ધર્મેન્દ્રસિંહ ઉપરોકત લેન્ડગ્રેબીંગના ગુન્હાના કામે નાસતો ફરતો / વોન્ટેડ હોય જેથી અંગત બાતમીદારોથી મળેલ બાતમી આધારે પાવાગઢ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ દ્રારા પકડી પાડી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી હાલોલનાઓને સુપ્રત કરી સારી કામગીરી કરેલ છે .