પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા 1272 થઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજે કોરોના સંક્રમણના નવા 95 કેસો સામે 81 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક 9066 થયો કોરોનાને પછડાટ આપી  7609 દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ- 19 સંક્રમણના નવા 95 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9066 થવા પામી છે. 81 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 1272 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો પૈકી ગોધરા શહેરમાંથી 15, હાલોલમાંથી 04 કેસ અને કાલોલમાંથી 05 કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5285 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરાના ગ્રામ્યમાંથી 18, હાલોલ ગ્રામ્યમાંથી 11, કાલોલ ગ્રામ્યમાંથી 09, મોરવા હડફ ગ્રામ્યમાંથી 11, શહેરા ગ્રામ્યમાંથી 07 અને ઘોઘંબા ગ્રામ્યમાંથી 12 કેસ મળી આવ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 3781 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 81 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 7609 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1272 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here