નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા રામજી મંદિર ખાતે પત્રકાર મિત્રો સાથે વાર્તાલાપ કરી હતી. અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ૩૧ જાન્યુઆરીના રોજ મીડિયા સેલની બેઠક યોજવામાં આવી હતી.જેમાં પ્રદેશ અધ્યક્ષે વર્ચ્યુઅલ માધ્યમથી તમામ જિલ્લાના કન્વીનર,સહ કન્વીનરને વિવિધ વિષયો પર માર્ગદર્શન કરી આગામી બેઠકો તમામ જિલ્લામાં પત્રકારો સાથે કરવામાં આવશે.જેમાં પ્રદેશમાંથી પદાધિકારી ઉપસ્થિત રહેશે.જેના અનુસંધાનમાં છોટાઉદેપુર જિલ્લા મીડિયા સેલની બેઠક બોડેલી સ્થિત રામ કબીર મંદિરમાં બપોરે ૨ વાગે રાખવામાં આવી હતી.જેમાં ગુજરાત પ્રદેશ સહ પ્રવકતા,સિનિયર નેતા હિતેન્દ્રભાઇ પટેલ,પ્રદેશ ડિબેટ ટીમના સભ્ય શૈલેષભાઇ પરમાર,મધ્યઝોન સહ કન્વીનર રાજેશભાઈ પરીખ ઉપસ્થિત રહી છ તાલુકા અને છોટાઉદેપુર શહેરમાંથી ઉપસ્થિત પત્રકારો સાથે વાર્તાલાપ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકના અંતે છોટાઉદેપુર જિલ્લા કન્વીનર પરિમલ પટેલે ઉપસ્થિત સહુ આગેવાનો,પત્રકારોનો આભાર પ્રગટ કર્યો હતો.વાર્તાલાપ બાદ પ્રદેશના સહ પ્રવકતાએ બોડેલી પ્રેસક્લબના પ્રમુખ અને સિનિયર પત્રકાર પરેશભાઈ ભાવસારના ઘરની મુલાકાત કરી હતી.