નસવાડી તાલુકા ભાજપ પ્રમુખને જિલ્લા મહા મંત્રી બનાવતા કાર્યકરોમાં ખુશીની લહેર…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ડી,એફ,પરમાર સાહેબ ને છોટાઉદેપુર જિલ્લા ના મહામંત્રી બનાવતા હદ્દેદારો કાર્યકરો મા ખુશી નો પાર ન રહ્યો અને નસવાડી તાલુકા ના લોકો મા પણ ખુશી જોવા મળી છે
એક સારા માણસ તરીકે ની છાપ ધરાવતા ડી,એફ,પરમાર સાહેબ ની સારી કામગીરી આટલા વર્ષોથી ભાજપ પાર્ટીમાં હતી એમના કાર્ય કાળ માં ઘણી ચૂંટણીઓ થઈ હતી અને એમાં ભાજપ પક્ષને સારી સફળતા મળી હતી અને સારી કામગીરી ને રાજ્ય ભાજપ બોર્ડ ધ્યાને લઈ આપણાં ગામના વરિષ્ઠ નેતા ડી,એફ,પરમાર સાહેબ ને છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી તરીકે નિમણુંક આપી ગામનું ગૌરવ વધાર્યું છે અને આગળ પણ સારી કામગીરી કરશે એમ ભાજપ પક્ષના કાર્યકરોએ અને લઘુમતી સેલના કાર્યકરો અને હોદ્દેદારોએ જણાવ્યું હતું અને ભાજપ પક્ષ ના લઘુમતી સેલ ના મહા મંત્રી અલ્તાફ ભાઈ કુરેશી જાવેદભાઈ કુરેશી ઉપ પ્રમુખ ફિરોઝભાઈ પઠાણ અકકુ મેમણ ઝુબેર કુરેશી ઇબ્રાહિમ દીવાન વગેરે તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા અને ડી,એફ,પરમાર સાહેબ નિષ્ઠા થી કામગીરી કરેછે અને કરતા રહેશે કોઈ પણ ભેદભાવ વગર કામ કરતા સાહેબ ને જિલ્લા મહામંત્રી તરીકે હોદ્દો મળતા અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here