રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના યુવા વિકાસ આધિકારી વી.બુ.તાયડે વયનિવૃત થતા નહેરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરી દ્વારા તેમનો વિદાય સમારંભ નું આયોજન કરી દીર્ઘાયુષ્ય ની પ્રાર્થના સાથે વિદાઈ આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યુ હતું.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના જિલ્લા યુવા અધિકારી વી. બી તાયાડે ની સેવા નીવૃત્તિ સમારંભ નું આયોજન રાજપીપલા ખાતે સરકારી અતિથિગૃહ ના સભાખંડમાં રાખવામાં આવ્યો હતો.
નેહરુ યુવા કેન્દ્ર ના સ્વયંસેવક પસંદગી સમિતિના સદસ્ય અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સભ્ય ડો.પ્રેમપ્યારી તડવી દ્વારા નિવૃત્ત અઘિકારી ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતુ, યુવા કેન્દ્રના ઇન્ચાર્જ જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા એ નિવૃત્ત અધિકારી વી.બુ. તાયડે નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જે પ્રસંગે ભરૂચ ના યુવા અધિકારી સુબ્રતો ઘોષ અજીતભાઈ પરીખ, નહેરૂયુવા કેન્દ્રના ચંદ્રકાંત બક્ષી, પ્રતીક્ષા પટેલ, સુરેખાબેન સહીત જિલ્લાના વિવિધ સંગઠનના આગેવાનો યુવા મંડળ મહિલા મંડળના સદસ્ય વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.