આઝાદી કા અમૃત મહોત્સવ અંગે શરૂ કરેલી ભાજપની બાઈક રેલી બોડેલી પહોંચી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ આઝાદીનાં 75 માં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતનાં તમામ મંડળોના પ્રવાસે નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ આઝાદીનાં 75 માં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતનાં તમામ મંડળોના પ્રવાસે નીકળ્યા હતા. તે અંતર્ગત આજે 16માં દિવસે બાઇક ચલાવી આ અભિયાન સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે આવી પહોંચ્યા હતા.બોડેલી આવતા જ અલીપુરા ચાર રસ્તા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અલીપુરા ચાર રસ્તા પર થી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતાં. બોડેલી નાં મુખ્ય માર્ગો ઉપર વિવિધ 2 જેટલા પોઇન્ટ ઉપર વિવિધ મંડળો તેમજ સામાજિક સંગઠનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here