દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૨ની અરજી જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા ખાતે તા.૧૯ સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વર્ષ ૨૦૨૨ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
(૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ
(૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
(૩) પ્લેસમેંટ ઓફીસર્સ
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમુનો અત્રેના ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા અત્રેની જીલ્લા રોજગાર કચેરી, ગોધરા ખાતે વિના મુલ્યે મળી રહેશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા જણાવવામાં આવે છે. નોકરી દાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવા અંગે જણાવાય છે.

ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત ત્રણ નકલમાં પંચમહાલ ગોધરા જીલ્લાની રોજગાર વિનિમય કચેરી,જિલ્લા સેવા સદન-૨, ભોંય તળિયે, ગોધરા ખાતે તા.૧૯.૦૯.૨૦૨૨ સુધીમાં રૂબરુ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે જરૂર જણાય તો અત્રેની જિલ્લા રોજગાર કચેરી ગોધરાના ટેલીફોન નં ૦૨૬૭૨-૨૪૧૪૦૫ અથવા રૂબરૂ સંપર્ક- સાધવા રોજગાર અધિકારીશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here