તારાપુરના ભામાશા દાનવીર શૈલેષભાઈ પટેલ USA નુ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે માનનીય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું

તારાપુર,(આણંદ) રફીક શા દિવાન :-

દિવ્યાંગ દિન નિમિત્તે વડતાલધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ૭૦૦ દિવ્યાંગોને કુત્રિમ હાથપગ શૈલેષ ભાઈ પટેલ ભામાશા ના દાન થકી આપવામાં આવ્યા હતા. તારાપુરના અને હાલ અમેરિકા વસવાટ કરતા દાનવીર શૈલેષભાઇ કાંતિભાઇ પટેલનુ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના ના રાજ્યપાલ ગેવવરત આચાર્ય ના હસ્તે સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું.કે સમયે તારાપુર શહેર ની તમામ સેવાભાવી સંસ્થાઓ તેમજ ગ્રામજનોએ તારાપુર મોંટી સંખ્યા મા હાજર રહ્યા હતા. આ પ્રસંગે તારાપુર કેળવણી મંડળ , રોટરી કલબ ઓફ તારાપુર , યુવાસેના તારાપુર , ઈમરજન્સી બલડ ડોનેટ ગૃપ , લાયન્સ ક્લબ ઓફ તારાપુર , હેલ્પફુલ ફાઉન્ડેશન ગ્રુપ તારાપુર જેવી વિવિધ સંસ્થાઓ તેમજ તારાપુરના ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે સ્વાગત અને સન્માન મા હાજરી આપી હતી. તેઓ પોતાના વતન તારાપુર ગામમાં વર્ષે એક કરોડ ઉપરાંતનું દાન કરતા હોય છે . છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી સમયે પણ તેઓએ અમેરીકામાં રહીને અવિરત પણે ગામને નાનું મોટું સેવા યુક્ત દાન આપેલ છે .. શૈક્ષણીક સામાજીક , ધાર્મિક કે કોઈ સેવાકીય પ્રવૃતિઓ તારાપુરમાં થતી હોય તો તેઓનો ખુબજ મોટો સહયોગ તારાપુર ગામને પોતાના દાન આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here