ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
બનાસકાંઠા જિલ્લા વેપારી મથક ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર થી ફુવારા સર્કલ સુધી ઉતરપ્રદેશના લખીમપુર ખાતે ખેડૂતોની થયેલી નિર્મમ હત્યાંના વિરોધમાં તેમજ શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને શહીદ ખેડૂત ભાઈઓને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી .અને શહીદ પરિવાર ને 1 કરોડ સહાય અને પરિવાર માં એક જણને નોકરી આપવી તેવી માંગ ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી ઉતરપ્રદેશના કેન્દ્રીય મંત્રી ના પુત્ર દ્વારા આંદોલન કરી રહેલ ખેડૂતો પર ગાડી ચલાવી 8 જેટલા ખેડુતોના મોત થયા છે જેને લઇને વિરોધપક્ષ દ્વારા યુપી સરકાર સામેના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટી ડીસા દ્વારા મુત્યુ પામેલ ખેડુતોની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.