છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ પ્રતાપનગર જતા ગળનાળામાં પાણી ભરાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સુસ્કાલ પાસેથી પ્રતાપ નગર રાયમુનિ મહારાજના મંદિરે જતા રસ્તે રેલ્વે ગળનાળામાં પાણી ભરાતા સુસ્કાલ થી પ્રતાપ નગર રણભુણ પાટીયા મોટી બુમડી જતા લોકોને આ રેલ્વે ગળનાળામાં 15 જ ફૂટ જેટલા પાણી ભરાતા આવવા જવાની ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં મુસરધાર વરસાદ બે દિવસ પડતા આ આ પ્રતાપ નગર જતા રેલવે નું ગળનાળુ આવેલ છે ત્યાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે આ વર્ષે પણ 15 જેટલા ફૂટ પાણી ભરાતા બે દિવસથી રસ્તો બંધ છે રેલવે તંત્ર દ્વારા આ રેલ્વે ગળનાળામાં થી મશીન દ્વારા પાણી બહાર કાઢી રહ્યા છે તો પણ આજે પણ ગળનાળામાં પાણી ભરેલું હોવાથી ત્યાંથી પસાર થવામાં ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે આ ગળનાળામાં પાણી ભરાતા ઘણા લોકો રેલ્વે ટ્રેક ઉપરથી ચાલતા જોખમ કરીને જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here