કાંકરેજ તાલુકામાં અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો ની ચૂંટણી જાહેર થતાં હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે ત્યારે પ્રથમ વખત આકોલી ઠાકોર વાસ ગ્રામ પંચાયત સરપંચ તરીકે પુનબા પ્રહલાદસિંહ જૂહાજી (જીઇબી)અને અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે રામપ્રસાદ બાબુલાલ ઠક્કર અને ઉપ સરપંચ તરીકે ઓબજી સોલંકી ની બિન હરીફ જાહેરાત કરવામાં આવી છે જેમાં સમસ્ત ગ્રામ લોકો દ્વારા ઉમેદવારો ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈ ને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુ થી ઠેર ઠેર સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન ની વર્ષા કરી ને તાલુકા નું ગૌરવ વધારેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here