અરવલ્લી જિલ્લામાં સરકારની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

વૃદ્ધ પેન્શન સહાય યોજનાથી કાંતિભાઈ પ્રજાપતિ અને રસિકભાઈ પટેલ સ્વતંત્ર રીતે સુખમય જીવન જીવે છે

અરવલ્લીના ધનસુરા ગામમાં રાજ્ય સરકારની અનેક યોજનાના લાભ મળ્યા છે.તેમાં રસિકભાઈ પટેલ અને કાંતિભાઈ પ્રજાપતિને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળ્યો છે જેના થકી દ્ર મહિને તેમને 1000 રૂ.ની આર્થિક સહાય મળી રહે છે અને તેનાથી તે પોતાના દવા અને ઘરના ખર્ચા પુરા કરીને સારી રીતે જીવન વ્યતિત કરી રહ્યા છે. આ લાભ મળવાથી તેમણે સરકારનો આભાર માન્યો છે.

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here