શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખાંડિયા ખાતે ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથી તરીકે શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અતિથિ જેઠાભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્ટેજ પર તેમનું વિવિધ રાજકીય હોદ્દેદારો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.જન જન સુધી જનકલ્યાણની યોજનાઓ પહોંચાડવાના ઉત્તમ હેતુસર શરૂ થયેલ “ વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ના રથને શહેરા તાલુકાના ખાંડિયા ખાતે સ્વાગત કર્યું.પ્રધાનમંત્રી Narendra Modi જીએ લાભાર્થીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધી, સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સૌ સુધી પહોંચાડી યોજનાઓના સેચ્યુરેશન પર ભાર આપ્યો હતો.આખા દેશમાં સંકલ્પ યાત્રાનો રથ જન સામાન્ય માટે ‘મોદીની ગેરંટી વાળી ગાડી’ બની રહ્યો છે. આ પ્રસઁગે તાલુકા પંચાયત પ્રમૂખ પુજીબેન ચારણ,સહિત રાજકીય હોદેદારો,વહીવટીતંત્રના અધિકારીઓ રહ્યા હતા.