ગુજરાતમાં પોર્ટ સેક્ટરમાં રોકાણો માટે ઉત્સુકતા દર્શાવી
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં સરળતા અને નવી ઉદ્યોગ નિતીના સફળ અમલના પરિણામે ગુજરાતમાં રોકાણકારો માટે વ્યાપક સુવિધાથી પ્રભાવિત થઇ ઝિંદાલ ગ્રૂપ રોકાણો માટે પ્રેરિત થયું
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત ઝિંદાલ ગ્રૂપ – જે.એસ.ડબલ્યૂ.ના ચેરમેનશ્રી સાજન ઝિંદાલે ગાંધીનગરમાં લીધી હતી.
તેમણે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાતમાં ખાસ કરીને પોર્ટ સેક્ટર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં રોકાણો માટેની ઉત્સુક્તા દર્શાવી હતી.
તેમણે કહ્યું કે, ઝિંદાલ ગ્રૂપ સ્ટીલ, પોર્ટ્સ, સિમેન્ટ માઇનીંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં પોતાની વ્યવસાયિક તજજ્ઞતાથી વિશ્વખ્યાત છે.
મુખ્મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તેમજ નવી ઉદ્યોગનીતિના માધ્યમથી રોકાણકારો-ઉદ્યોગકારોને આકર્ષિત કરવાની જે સફળતા મેળવી છે તેનાથી પ્રભાવિત થઇને ઝિંદાલ ગ્રૂપ ગુજરાતમાં રોકાણો કરવા માટે ઉત્સુક છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસ નાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, ઝિંદાલ ગ્રૂપના સીઇઓશ્રી અરૂણ મહેશ્વરી તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ હેડ શ્રી દેવકીનંદન પણ જોડાયા હતા.