બાબરા,
પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ
દરરોજ બપોરના સમયે છાસ લઈને શ્રમિકોને ઠંડી છાસ પીવડાવવામાં આવે છે
બાબરા તાલુકાના ચમારડી ગામે ચાલી રહેલ મનરેગા યોજના રાહત કામગીરીમાં કામ કરતા શ્રમિકો માટે દરરોજ બપોરે ચમારડી ગામના સેવાભાવી યુવા આગેવાન કર્દમકુમાર જોષી (રુષીભાઈ જોષી) દ્વારા છાસનું વિતરણ કરવામાં આવે છે.
અહિ દરરોજ બપોરે ૧૨ વાગ્યે શ્રમિકોને છાસનું વિતરણ કરવામાં આવે છે. સાથે જેમ માગે તેમ શ્રમિકોને છાસ પીવડાવવામાં આવે છે. ત્યારે આ સેવાકીય કાર્યથી શ્રમિકો ખુસ જોવા મળ્યા હતા. અને શ્રમિકોએ કર્દમકુમાર જોષી (રુષીભાઈ જોષી) નો આભાર માન્યો હતો.