નાંદોદ,
પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)
ગામના બાળકોને અને ગ્રામજનોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકએ કોરોના જાગૃતિની માહિતી આપી
રજાના દિવસોમાં ભણતા રહેવાનો ખ્યાલ આપ્યો
નાંદોદ તાલુકાના બોરિન્દ્રા ગામે વિશ્વ પુસ્તક દિવસ ઉજવણી કરવામાં આવી હતી.હાલ શાળાઓ બંધ હોવાથી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અને બોરિન્દ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા એ પુસ્તક દિવસ ગામમાં ઘરે ઘરે જઈને ગામના બાળકોને અને ગ્રામજનોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકે કોરોના જાગૃતિની માહિતી આપી અને કોરોના સંબંધી સાહિત્ય આપ્યું હતું અને રજાના દિવસોમાં ભણતા રહેવાનો ખ્યાલ પણ આપ્યો હતો અને ઘરે રહીને બાળકોને સમય મળે યોગ્ય અભ્યાસ કરવા જણાવતા બાળકો અભ્યાસ કરતા નજરે પડ્યા હોવાનું અનિલ મકવાણાએ જણાવ્યું હતું.