કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો દિનેશ બાંભણીયા તથા યુવરાજસિંહ જાડેજા મંગળવારે સાંજે કાલોલ ના સરદાર ભવન ખાતે યુવા બેરોજગાર માટે ખાસ હાજર રહી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ આશરે બસો થી વધુ યુવક યુવતીઓ હાજર રહી પોતાની વ્યથા ઠાલવી હતી સરકાર ની વિવિધ કચેરી મા ભરતીઓ કરાવવા, તલાટી, જી.પી. એસ.સી, પોલીસ,એલ. આર. ડી ,શિક્ષકો ની ભરતી ઓ ની ચર્ચા વિચારણા કરવામાં આવી. સમિતિના સભ્યોએ હાલોલ, ગોધરા ખાતે વિવિધ રાજકીય અગ્રણીઓ સાથે પણ ખાસ મુલાકાત કરી બેરોજગાર યુવાનોના પ્રશ્નોની ચર્ચા કરી હતી.