સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના વાગડીયા ગામમાં આવેલ એલ એન્ડ ટી લેબર કોલોનીના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગરૂડેશ્વર તાલુકાના વાગડીયા ગામની ૩ કી.મીની ત્રિજ્યામાં આવતા વિસ્તારને COVID-19 બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરાયું…

નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations – 2020 જાહેર કરેલ છે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સટેચયુ ઓફ યુનિટી પાસે ના વાગડીયા ગામમાં આવેલ એલ એન્ડ ટી લેબર કોલોનીમાં COVID-19 નો પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મનોજ કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ – ૩૦ તથા કલમ – ૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭, કલમ – ૨ અન્વયે અનવ્યે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૨/૦૬/૨૦૨૦ થી તા.૧૬/૦૬/૨૦૨૦ સુધી કરવાની રહેશે.

ગરુડેશ્વર તાલુકામાં સમાવિષ્ટ વાગડીયા ગામમાં આવેલ એલ એન્ડ ટી લેબર કોલોનીના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે. ઘરોની કુલ સંખ્યા (આશરે) ૩૬-રૂમ તેમજ કુલ વસ્તી (આશરે)-૩૫ રહેશે.

ઉકત COVID-19 Containment Area વિસ્તારોમાં નીચે મુજબની અમલવારી કરવાની રહેશે. આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.

આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓની જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24*7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. આ કન્ટેન્ટમેન્ટ એરિયા (Containment Area) માં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.

તેવી જ રીતે આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારશ્રીના Containment Area પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

ગરુડેશ્વર તાલુકામાં ઉક્ત મુજબના જાહેર કરેલ Containment Area ઉપરાંત નીચે મુજબના વિસ્તારને બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદને સીલ કરવામાં આવેલ છે. ગરુડેશ્વર તાલુકાના વાગડીયા ગામની ૩ કી.મીની ત્રિજ્યામાં આવતા વિસ્તારને COVID-19 બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરવામાં આવે છે.

બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે. સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત),આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે તથા નિવારક પગલાંના ભાગરૂપે માસ્ક, વારંવાર હાથ ધોવા, વ્યક્તિગત સફાઈ, સામાજીક અંતર વગેરેનો પ્રચાર કરવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here