સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુરના પ્રસિદ્ધ રુદ્ર મહાલય પાછળ આવેલા સરસ્વતી નદીના વૈકુંઠ ઘાટ પર આવેલા મહાદેવજી ના મંદિરમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાઇ આ અંગેની વિગતો એવી છે કે સિદ્ધપુર રુદ્રમહાલય પાછળ આવેલા સરસ્વતી નદી ના વૈકુંઠ ઘાટ પર આવેલ પ્રાચીન સરસ્વતી માતાજીના મંદિર પાસે આવેલા મહાદેવજીના મંદિરમાં ગોગા મહારાજ ઘણા સમયથી હતા નહીં જેથી સ્થાનિકો દ્વારા ગોગા મહારાજ ની પ્રતિષ્ઠા કરી મહાદેવના મંદિરમાં લિંગ પર બિરાજમાન કર્યા હતા આ પ્રસંગે યજમાન તરીકે સ્થાનિક બે ઠાકોર ભાઈઓ બે બ્રાહ્મણ ભાઈઓ તેમજ આચાર્ય નિલેશભાઈ શાસ્ત્રી એ સ્વયંવ ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરી મહાદેવજીના મંદિરમાં બિરાજમાન કર્યા હતા.