સાંસદ મનસુખ વસાવા રાજપીપળા ખાતે શ્રી એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પહોંચ્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સાંસદ મનસુખ વસાવા એ એન એસ એસ કેમ્પ ના વિધાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું

ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે આયોજિત ખાસ વાર્ષિક શિબિર “રાષ્ટ્રીય સેવા યોજના” (N.S.S)માં જોડાયેલ વિદ્યાર્થીઓ ની કોલેજ કેમ્પસ ખાતે પહોંચી સાંસદ મનસુખ વસાવા એ મુલાકાત લીધી હતી. અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો .

સાંસદ મનસુખ વસાવા એ એન એસ એસ કેમ્પ મા જોડાયેલ વિધાર્થીઓ ને શિક્ષણનું મહત્વ સમજાવી શિક્ષણ ઉપર વધુ ભાર મુકવા પ્રોત્સાહિત કર્યાહતા. આ કાર્યક્રમમાં કોલેજ ના પ્રાચાર્ય શૈલેન્દ્રસિંહ માગરોલા, સહિત કોલેજ ના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here