રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ સ્વરછતા અભિયાન માં જોડાયા
દેશ ના વડાપ્રધાન મોદી એ ધાર્મિક તીર્થ સ્થળો અને મંદિરો ના પ્રાંગણો ને સ્વચ્છ કરવા સંદર્ભે દેશવાસીઓ ને આપેલ સ્વેચ્ચિક આહવાન ને સાકાર કરવા હેતુસર હનુમાન ધરમેશ્વર મંદિર, રાજપીપલા ખાતે સફાઈ અભિયાન ચલાવી સ્વચ્છતા ત્યાં પવિત્રતાનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક કરવા માટે ભાજપા આગેવાનો કાર્યકરો એ યોગદાન આપ્યું હતું . મંદિર સહિત પ્રાગણ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
આ ઉપરાં દરમિયાન હનુમાન ચાલીસા ના પાઠ તેમજ રામજી ના ભજન કીર્તન પણ કર્યા હતા
આ અભિયાનમાં સાંસદ મનસુખ વસાવા,નાંદોદ વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી ડૉ દર્શનાબેન દેશમુખ , નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી નિલ રાવ, રાજપીપલા નગરપાલિકા કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ , નગરપાલિકા ના સદસ્યો, રાજપીપલા મંડળ મહામંત્રીઓ રાજેન્દ્રભાઈ પટેલ, અજીત પરીખ, નર્મદા સોશ્યિલ મીડિયા કન્વીનર દર્શન જોષી , રાજપીપલા કાછીયાવાદ ભજન મંડલ, નગરજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.