સંખેડાના ખૂનવડ ગામના ગ્રામજનોએ વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખૂણવડ ગામે નાગરિકો દ્વારા તાલુકા પંચાયત સંખેડા મામલતદાર સાહેબશ્રીને સંખેડા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને છોટાઉદેપુર કલેક્ટર સાહેબ શ્રી ને છોટાઉદેપુર ની ઓફિસમાં અરજીઓ કરેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ થયેલ નથી અને અમોને ન્યાય મળેલ નથી જે બાબતથી માંગણીઓ લઈ સંખેડા તાલુ કાના ખૂનવડ ગામ જનો છોટાઉદેપુર કલેકટર શ્રી ને આયોજનપત્ર આજરોજ આપ્યું હતું જાણવા વિગત કે ખૂનવડ પંચાયતમાં આવેલ ગામતળ ના ગૌચરના લીલા ઝાડ પંચાયતના સરપંચ તલાટી સભ્યોએ દ્વારા છેદન કરી બારોબાર વેચી નાખેલ છે એ અંગેની કોઈ ઠરાવ કે પરમિશન લીધેલ નથી અને ઠરાવમાં સભ્યની સહીઓ પણ લીધેલ નથી તેથી ગ્રામજનો દ્વારા ન્યાય મળે તે માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here