શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
ભાદરવી પુનમના પવિત્ર દિવસે ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલી શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનનુ વિશેષ મહત્વ હોય છે.જેને લઇને ગુજરાતભરમાંથી પગપાળા સંઘો રવાના થાય છે.શહેરા તાલૂકામાંથી પણ પગપાળા સંઘો રવાના થયા છે.પંરતુ હાલમાં કોરોનાની મહામારીના ડરના કારણે પગપાળા સંઘોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે.શહેરા તાલૂકાના વાઘજીપુર ગામથી દર વર્ષે પગપાળા સંઘ રવાના થાય છે.આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા પગપાળા સંઘ અંબાજી જવાના રવાના થયો હતો.ગામના યુવાનો,વૃધ્ધો સંગીતમય વાતાવરણના તાલે માતાજીનો જયજયકાર બોલાવતા સંઘમા જવા રવાના થયા હતા.યુવાનો દ્વારા જગજનની માતાને દેશસૂખ સમૃધ્ધિથાય,કોરોનાની મહામારી મૂક્તથાય તે માટે પ્રાર્થના કરશે.