શહેરા ખાતે તાલૂકા કક્ષાના સ્વતંત્રતા દિન નિમિત્તે મામલતદાર મેહૂલભાઈ ભરવાડે તિરંગો ફરકાવ્યો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા ખાતે તાલુકાકક્ષાના ૭૫ મા સ્વંત્રતતા પર્વની ઉજવણી કરવામા આવી હતી.મામલતદાર મેહુલભાઈ ભરવાડ દ્વારા તિરંગો લહેરાવીને સલામી અપાઈ હતી.આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામા આવ્યુ હતૂ.

ભારત દેશમાં 75માં આ સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી હતી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ શહેરા સેવાસદનના પટાંગણમાં ઉજવવામાં આવ્યો હતો. મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ દ્વારા તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે કોરોનાની મહામારી માં સેવા કરનાર કોરોના વોર્યસ ને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સેવાસદનમાં પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો અને અધિકારીઓ એ પણ તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અંસારી તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી તેમજ આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને શહેરાના નાગરિકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here