વેજલપુર ગામે સ્વામિનારાયણ મંદિરનો ૩૧ માં પાટોત્સવની શાનદાર ઊજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ મોટી કાછિયાવાડમાં સ્વામિનારાયણ મંદિર ના ૩૧ મા‌ પાટોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે તા. ૧૯ ના રોજ સાંજે આઠ થી અગિયાર સુઘી રાસ ગરબા તેમજ તા.૨૦ ના રોજ સવારના પાંચ કલાકે પ્રભાત ફેરી઼‌ સવારે ૮:૩૦ વાગે ભગવાન સ્વામિનારાયણના અભિષેક ૧૦:૦૦ વાગે સંતોના પ્રવચન અને આર્શીવચન બપોરના ૧૨ કલાકે મહાપ્રસાદ તેમજ સાંજના ચાર કલાકે નગર યાત્રા નગરયાત્રાના મુખ્ય યજમાન કોકીલાબેન પારેખ હતા તેઓના ઘરેથી વાજતે ગાજતે ભગવાન સ્વામિનારાયણ ના ગીતો ગાતા ગાતા નગરયાત્રા આખા ગામમાં ફરી હતી જેમાં યજમાન ની ઘેર થી નગરયાત્રા નીકળી ગ્રામ પંચાયત બજાર ત્યારબાદ કાછીયાવાડમાં આવી પરત સ્વામિનારાયણ મંદિરે આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here