વિશ્વકર્મા જયંતિ નિમિતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે,આઇ.ટી.આઇ ગોધરા અને આઇ.ટી.આઇ ગોધરા(મહિલા)ના આચાર્યશ્રી દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિતે તાલીમાર્થીઓનો પ્રથમ કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારોહમાં ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખકુ. કામિનીબેન સોલંકી,તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થીની સાથોસાથ ભુતપુર્વ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ દીક્ષાંત સમારોહમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ કુલ ૬૩તાલીમાર્થીઓને મહેમાનશ્રીઓના વરદ હસ્તે પદવીદાન કરવામાં આવ્યુ હતું.

આ ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી અને જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થી દ્વારા પ્રેરક સંબોધન કરીને માહીતી અપાઈ હતી. આ સાથે કાર્યક્રમના અંતે વર્ચ્યુલ માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખૂબ પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું તેમ ઔદ્યોગીક તાલીમ સંસ્થા ગોધરાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here