ગોધરા,(પંચમહાલ)
સાદિક ચાંદા
કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે સંક્રમણના ભય વચ્ચે રોજગારી અર્થે ગ્રામજનોએ બહાર જ્વુ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મનરેગા, પીએમએવાય યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) સહિતની યોજનાઓ અંતર્ગત જળસંચય સહિતના વિવિધ કામોની શરૂઆત કરી શ્રમિકોને સ્થાનિક સ્તરે રોજગારી આપવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં ગોધરા તાલુકાના સાંપા ગામે ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી હસ્તે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઊંડો કરવાના કામની શરૂઆત કરવામાં આવી છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે એપીએમસી ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, એપીએમસી ગોધરાના સભ્ય અને ગોધરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી અરવિંદસિંહ બી. પરમાર તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા.