રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાન” અંતર્ગત વિજ્ઞાન અને ગણિત શિક્ષકોની બી.આર.સી.ભવન શહેરા ખાતે માર્ગદર્શન બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાન” અંતર્ગત વિજ્ઞાન અને ગણિત શિક્ષકોની બી.આર.સી.ભવન શહેરા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં માર્ગદર્શન બેઠક યોજાઈ. જે અંતર્ગત શહેરા તાલુકાના 22 જેટલા પ્રતિભા સંપન્ન શિક્ષકોના સહકારથી મોડ્યુલ નિર્માણ આયોજન કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ NMMS માં ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓને મહાવરો કરવાના હેતુથી મિશન 2022 પ્રશ્નોનું મોડ્યુલ નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે શહેરા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિજ્ઞાન ગણિત વિષયમાં નવોચાર કરતા શિક્ષકોનું એક વિષયવાર સર્કલ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના આધારે વર્તમાન સમયે વિદ્યાર્થીઓને કોરોનાના કારણે થયેલ લર્નિંગ લોસને પહોંચી વળવા શૈક્ષણિક પ્રવૃત્તિ આધારિત સાહિત્ય નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શૈક્ષણિક પ્રક્રિયામાં અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાને લઈ તેમજ બાળકોની શીખવાની વર્તુણાંક, રૂચી, જીજ્ઞાશા અને પ્રેરણારૂપ બાબતોને ધ્યાને લઈ સાહિત્ય નિર્માણ કરવામાં આવશે. વિષયવાર ટીચર સર્કલ દ્વારા શૈક્ષણિક સંશોધન તેમજ એક્શન રીસર્ચ, નવીન પ્રેક્ટિસ યોજવા તેમજ બાળકો અને શિક્ષકોને ઉપયોગી બની શકે તેવું પુસ્તક તૈયાર કરી શાળાઓને બ્રોશર સ્વરૂપે આપવામાં આવશે. “રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાન” અંતર્ગત માર્ગદર્શન અને આયોજન સેમિનારમાં ઉપસ્થિત તમામ શિક્ષકોએ ઉત્તમ સાહિત્ય નિર્માણ કરવા આપેલ ખાત્રી તેમજ સહકાર આપવા બદલ સૌને હ્દયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આભાર વિધિ ચિરાગ પ્રજાપતિ તેમજ સંચાલન સૃજલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મિટિંગ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here