રાજપીપળાના પ્રસિદ્ધ તબીબ નિખિલ મહેતા કોરોનાની ઝપેટમાં સપડાયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૭ પોઝિટીવ કેસો સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દર્દીઓની કુલ સંખ્યા ૧૧૦ થઇ

આજની સ્થિતિએ રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૧ સેમ્પલ પૈકી આજે ૭ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૪૩ સેમ્પલ મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૨,૨૨૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૧ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા રોજબરોજ વધી રહી છે, આજે રાજપીપળાના પ્રસિદ્ધ તબીબ નિખિલ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતામા વધારો થયો છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી ગત રોજ તા.૧૧ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૭ પોઝિટીવ કેસો નોંધાયા છે. આમ, આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ ૧૧૦ દર્દીઓ પૈકી કુલ ૯૦ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાતા તેમજ ગઇકાલ તા. ૧૦ મી જુલાઈ,૨૦૨૦ ના રોજ ૧ દર્દીને સુરત અને ૧ દર્દીને વડોદરા રિફર કરાતાં આજની સ્થિતિએ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કુલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૪૧ સેમ્પલ પૈકી ૭ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં, રાજપીપલા શહેરી વિસ્તારના આદિત્ય-૨ કોમ્પલેક્ષ વિસ્તારના રહીશ ૭૨ વર્ષિય એક પુરૂષ, નાદોદ તાલુકાના જેસલપોર ગામના ૪૫ વર્ષિય એક પુરુષ, લાછરસ ગામનાં ૪૧ વર્ષિય એક પુરુષ, કોઠારા ગામના ૬૫ વર્ષિય એક પુરુષ, ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના ૩૩ વર્ષિય એક પુરૂષ, દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની ૧૯ વર્ષિય એક મહિલા અને સાગબારા તાલુકાના સેલંબાના રહીશ ૩૫ વર્ષિય એક મહીલાનો સમાવેશ થાય છે. આ દર્દીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૧૮ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૪૩ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૧૧ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૨,૨૨૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૬૪ દર્દીઓ, તાવના ૩૬ દર્દીઓ, ડાયેરીયાના ૨૧ દર્દીઓ સહિત કુલ-૧૨૧ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૪૧,૯૯૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૭૦,૭૬૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here