ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
શહેરના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને જય સરદારના નારા લગાવી આ જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.