રાજકોટના આજીડેમ ચોકડી પાસે મોટી દુર્ઘટના, વરસાદી માહોલ વચ્ચે ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત…

રાજકોટ,
વિનુભાઈ ખેરાળીપા

રાજકોટના આજી ડેમ ચોકડી પાસે ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ પડી હતી જેમાં દબાઈ જવાથી બે લોકોના મોત થયા છે. અને ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર ફાયટરની ટીમ દ્વારા બે ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ બંને લાશ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થઇ છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દબાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કાટમાળ નીચેથી એક એક્ટિવા સહિત બે વાહનો નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આઆજીડેમ ચોકડી પાસે લગાવેલ સિસીટિવી કેમેરામા ઓવરબ્રિજ ધરાશાયીના થયાના દ્રશ્ય સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here