કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા “અમૃત ભારત સ્ટેશન” સ્કીમ અંતર્ગત વડોદરા ડિવિઝનની શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન હરીફાઈ રાખવા માં આવી હતી તેમા નવરચના ગુરુકુળ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના ધોરણ 6 થી 10 ના બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને બાળકો ને આગામી 6 ઓગસ્ટ 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારત માં 500 થી વધારે સ્ટેશન ને વિકસિત કરવા જઈ રહ્યા છે તેના ભાગરૂપે કાલોલ તાલુકા ના ડેરોલ રેલ્વેસ્ટેશન પર ઇલોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે શાળા ના તસ્વીર મા નજરે પડતાં બાળકો ને રેલ્વેતંત્ર દ્વારા ઈનામ આપી સન્માનિત કરાશે.