ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
શ્વેતામ્બર જૈન મંદિર,પાવાગઢ ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસ અને મિશન લાઇફ સામૂહિક ગતિશિલતાની ઉજવણી કરાશે
પંચમહાલ જીલ્લા ખાતે જીલ્લાકક્ષાએ વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઇફની સામૂહિક ગતિશિલતાની ઉજવણી તા. ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે શ્વેતામ્બર જૈન મંદિર,પોલિસ સ્ટેશન પાવાગઢ ખાતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રીશ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ સભ્યશ્રી,ધારાસભ્યશ્રીઓ પણ જોડાશે. ઉપરોક્ત કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા શાળાના બાળકો દ્વારા પર્યાવરણને અનુરૂપ નાટક રજૂ કરીને કરવામાં આવશે.આ તકે મિશન લાઇફ અંતર્ગત શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવશે તથા પ્રતિજ્ઞા ગ્રહણ સમારંભ પણ યોજાશે.આ સાથે મંત્રીશ્રી દ્વારા ઉદ્દબોધન કરવામાં આવશે તથા વૃક્ષારોપણ વૃક્ષ રથ/ટોકન રોપ વિતરણ કરાશે.