પંચમહાલ જીલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ(PCV) રસી આપવાની શરૂઆત

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં આજથી બાળકોને ૨૦મી ઓક્ટોબરથી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પીસીવી) વિનામૂલ્યે આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. પટેલવાડા અર્બન હેલ્થ સેન્ટર, ગોધરા ખાતે આ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, ભારત સરકાર દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમમાં તા. ૨૦મીથી એક નવી વેક્સિન પીસીવીને સામેલ કરવામાં આવી છે. આ રસીથી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળશે. અત્યાર સુધી ટીબી, પોલિયો, ડીપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટીટેનસ, મિસલ, રુબેલા અને રોટા વાયરસના જેવી ગંભીર બિમારીથી રક્ષણ આપતી રસી સરકાર તરફથી વિનામૂલ્યે દરેક સરકારી દવાખાનામાં ઉપલબ્ધ છે. જેમાં સૌથી મોંઘી એવી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન હવે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં દરેક સરકારી દવાખાના પર વિનામૂલ્યે મળી રહેશે. આ રસીના કુલ ત્રણ ડોઝ દોઢ મહિને સાડા ત્રણ મહિને અને નવ મહિના બાદ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ,ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન આપવાથી ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે થતા ૩૦ થી ૩૫ ટકા બાળકોનું જીવન બચાવી શકાશે અને બાળ મુત્યુદર ઘટાડવામાં મદદરૂપ થશે. હાલમાં ૨૪ કલાક કાર્યરત ઈવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને યુએચસી ખાતે આ વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લામાં કુલ ૫૦ થી વધુ બાળકોને આ રસી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં એડીએચઓશ્રી જે.પી. પરમાર, ડો. અલકેશ પરમાર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here