ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લા કક્ષાની લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ગોધરા ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં તકેદારી ક્ષેત્ર તરફથી મળેલી તપાસો, ખાતાકીય તપાસો અને એ.સી.બી પોલીસ સ્ટેશન કક્ષાએ બાકી રહેતી તપાસો તથા નામદાર કોર્ટમાં પડતર એ.સી.બી. કેસોની સમિક્ષા કલેકટરશ્રી દ્વારા સમિતિની મિટિંગમાં કરવામાં આવી હતી.આ સાથે બાકી કેસોની સત્વરે પૂર્ણતા કરીને અહેવાલ સાદર કરવા તથા એ.સી.બી કેસો ઝડપથી ચલાવવા માટે સબંધિતોને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,એ.સી.બીના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.