ગોધરા,(પંચમહાલ),ઇશહાક રાંટા
જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 42 થઈ
પંચમહાલ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણનો એક જ કેસ મળી આવ્યો છે. આ કેસ ગોધરા ગ્રામ્યમાં નોધાયો છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા 3896 થવા પામી છે. 05 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 42 થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2849 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1047 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3715 થવા પામી છે.