પંચમહાલ જિલ્લામાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ નવેસરથી જાહેર કરાશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી આગામી ત્રણ માસ સુધી મુલતવી રહેતા લેવાયેલ નિર્ણય

રાજ્ય ચુંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવેમ્બર-૨૦૨૦માં યોજાનાર ગોધરા નગરપાલિકા, પંચમહાલ જિલ્લા પંચાયત તથા પંચમહાલ જિલ્લાની ૭ તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી ત્રણ માસ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયત મતદાર મંડળોની મતદારયાદીઓ તૈયાર કરવામાં આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ, દાવા-અરજીઓ અન્વયે આખરી નિર્ણય કરવા માટેની તારીખ અને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હવે નવેસરથી જાહેર કરવામાં આવશે, જેની નોંધ લેવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here