પંચમહાલ જિલ્લામાં જવાહર નવોદયમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 11 ઓગસ્ટ, 2021ના રોજ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રટા :-

પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે

પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ-06ની પ્રવેશ પરિક્ષા તા. 11.08.2021ના રોજ જિલ્લાના વિવિધ કેન્દ્રો પરથી લેવામાં આવશે. અગાઉ તા. 10.04.2021ના રોજ આ પરીક્ષા યોજાનાર હતી પરંતુ કોરોના-19 મહામારીના કારણે પરીક્ષા મોકૂફ રહી હતી. નવોદય વિદ્યાલય, વેજલપુરના ધોરણ-06માં પ્રવેશ મેળવવા અરજી કરનારા દરેક બાળકો અને તેમના વાલીઓને પ્રવેશ માટેની પરીક્ષાના પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માટે નવોદય વિદ્યાલય, વેજલપુરની એક અખબારીયાદીમાં જણાવાયું છે. આ પ્રવેશ પત્ર પરીક્ષાના દિવસે સેન્ટર પર લાવવાના રહેશે તથા પ્રવેશ પત્રમાં આપેલ કોરોના-19ની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) www.navodaya.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે તેમ યાદીમાં જણાવાયું છે. જવાહર નવોદય વિદ્યાલય એ ભારત સરકારની માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શિક્ષા વિભાગ હસ્તક ચાલતી એક સ્વાયત સંસ્થા છે, જ્યાં પ્રવેશ પરીક્ષા મારફતે પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણ સહિત રહેવા-જમવા માટેની ઉત્કૃષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here