ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પક્ષકારોએ સંબંધિત કોર્ટોમાં સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી
નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 12 માર્ચ, 2022નાં રોજ ગોધરા જિલ્લા મુખ્ય મથકની અદાલતોની સાથે સાથે શહેરા, મોરવા(હ), કાલોલ, હાલોલ, ઘોંઘબા અને જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં નામદાર અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્શ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલ શ્રી જે.આર.શાહનાં અધ્યક્ષ સ્થાને નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારનાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેવા કે ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ ઈન્સ્યુમેન્ટ એકટ- 138 હેઠળનાં કેસો, બેન્ક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી કેસો, મેટ્રીમોનીયલ કેસો, મજુર ડીસપ્યુટના કેસો, વીજળી અને પાણીના બીલોના કેસો(ચોરીના નોન- કંપાઉન્ડેબલ સિવાય),સર્વિસ મેટરનાં કેસો જેમાં પગાર ભથ્થા અને નિવૃતિનાં લાભોને લગતાં કેસો, જમીન સંપાદનના કેસો, રેવન્યુ કેસો અન્ય સીવીલ કેસો ( રેન્ટ, ઇઝમેન્ટરી રાઇટસ, ઇન્જકશન શુટ, સ્પેસીફીક પરફોમેન્સ શુટ) અને પ્રિ-લીટીગેશન કેસો વગેરે સમાધાન અર્થે મૂકી શકાશે. નેશનલ લોક અદાલતનો વધુમાં વધુ લોકો સમાધાનથી વિવાદમુકત બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. આમા સમાધાન કરવાની ઇચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબધિત કોર્ટોનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરા, ડિસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડ, સિવિલ અને ક્રિમીનલ કોર્ટ બિલ્ડીંગ, માળ રૂમ નંબર- 323 ખાતે સંપર્ક કરવા ચેરમેનશ્રી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી જે.આર. શાહે એક અખબારી યાદીમાં જણાવાયું છે.