પંચમહાલ જિલ્લાના નાગરિકો જોગ,૨૨ જાન્યુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી બેંકો બંધ રહેશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ભારત સરકાર,નાણા મંત્રાલય,નાણાકીય સેવાઓ વિભાગ, નવી દિલ્હીના કાર્યાલય મેમોરેન્ડમમાં દ્વારા જણાવે છે કે, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓના કર્મચારીઓને રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીમાં ભાગ લેવા માટે 22 જાન્યુઆરી 2024ના રોજ અડધા દિવસ (બપોરે 2:30 વાગ્યા સુધી) માટે બંધ રહેશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકો/ પ્રાદેશિક ગ્રામીણ બેંકો ઉપરાંત જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ/ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓને પણ લાગુ પડશે.આથી પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

આ સાથે બેંક ઓફ બરોડાની શાખાઓમાં પણ બેંકિંગ સેવાઓ 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 02.30 વાગ્યાથી કામકાજના સમયની સમાપ્તિ સુધી ઉપલબ્ધ રહેશે તેમ ક્ષેત્રિય પ્રમુખ,ગોધરા ક્ષેત્ર દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here