નિરંકારી ભક્તો ૨૬ ફેબ્રુઆરી ના રોજ ગોધરા રામસાગર તળાવ કિનારે ચલાવશે સ્વચ્છતા અભિયાન…

ગોધરા, (પંચમહાલ) નૈનેસ સોની :-

સંત નિરંકારી મિશન શરૂઆત કરી રહ્યું છે ‘અમૃત પરિયોજના’

સ્વચ્છ જળ-સ્વચ્છ મન માં દોઢ લાખ નિરંકારી ભક્તો ભાગ લેશે

ગોધરા, સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજી ના પાવન સાન્નિધ્યમાં ૨૬ ફેબ્રુઆરી રવિવાર ના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ નો શુભારંભ કરવામાં આવશે.

આ અમૃત પરિયોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવા ની સાથે જ મુખ્ય બિંદુ જળસ્નીત્રોત ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ ૨૬ ફેબ્રુઆરી, રવિવાર ના રોજ સવારે ૮ વાગ્યા થી સેંકડો નિરંકારી ભક્તો રામસાગર તળાવના કિનારે તથા ઝુલેલાલ ઘાટ પર જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મન નો સંદેશ આપશે.

બાબા હરદેવસિંહ જી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાન નો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહ જી મહારાજની શિક્ષાઓ થી પ્રેરણા લઇ દરેક વર્ષ ની જેમ જ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સંત નિરંકારી મિશન ના સચિવ શ્રી જોગીન્દર સુખીજા જી ના હવાલા થી વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષ ના લગભગ ૧૦૦૦ સ્થળો પર ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યો અને કેન્દ્ર્શાષિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવશે, જેમાં નિરંકારી મિશન ના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્થાઓ’ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા, પોખર, જોહ્ડ, ભિન્ન ઝરણાઓ, પાણી ની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને નિર્મળ બનાવશે.

આ અભિયાન માં મુખ્યત: ઉત્તરી ક્ષેત્ર થી વ્યાસ, ગંગા, યમુના, ધાધરા, કેન્દ્રીય ક્ષેત્રમાં ચંબલ, બેતવા, નર્મદા, કૃષ્ણા, તાપી, સોન નદી, પશ્ચિમી ક્ષેત્ર થી સાબરમતી, મહી, તવા, પૂર્વી ક્ષેત્ર થી મહાનદી, ગોદાવરી, અને દક્ષિણી ક્ષેત્ર થી કૃષ્ણા, કાવેરી, કોલ્લીદ્મ વગેરે પ્રમુખ નદીઓ ને સંમિલિત કરવામાં આવી છે.

‘અમૃત પરિયોજના’ અંતર્ગત ભારત ના દક્ષિણી ક્ષેત્રો ના મુખ્ય તટબંધો ની સ્વચ્છતા જેમાં સુરત, મુંબઈ થી લઇ ગોવા સુધી ના કોંકણ બેલ્ટ, માલાબાર તટ ના કર્ણાટક, કેરળ ની તટીય રેખાઓ અને અરબ સાગર ની પશ્ચિમી ઘાટ ની સીમા ને તથા કોરોમંડળ તટના દક્ષિણી પૂર્વીય તટીય ક્ષેત્રોને સ્વયંસેવકો ની ટીમ દ્વારા આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પૂર્વમાં બંગાળ ની ખાડી અને દક્ષિણમાં કાવેરી ડેલ્ટા ને પણ કવર કરવામાં આવશે.

નિસંદેહ આ પરિયોજના પર્યાવરણ સંતુલન, પ્રાકૃતિક સુંદરતા અને સ્વચ્છતા માટે થવા જઈ રહ્યું એક પ્રશંસનીય તથા પ્રોત્સાહન આપનારો પ્રયત્ન છે. વર્તમાન માં આપણે આવી જ લોક કલ્યાણકારી પરિયોજનાઓ ને ક્રિયાન્વિત રૂપ આપી આપણી આ સુંદર ધરતીને હાની થતા બચાવી શકીએ છીએ. સાથે જ પ્રાકૃતિક સંસાધનો ના દુરુપયોગ પર પણ રોક લગાવી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here