નર્મદા જીલ્લામાથી 24 નાયબ મામલતદારોને છુટ્ટા કરાશે તો કામગીરીઓ કોણ કરસે ???

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાંથી મહેસુલ વિભાગના 24 નાયબ મામલતદારની સામૂહિક બદલીઓનો ગંજીફો ચિપાતા જિલ્લા વહીવટી તંત્ર માં અવઢવ

રાજ્ય સરકાર ના મહેસુલ વિભાગ ના બદલી નાં આદેશો છતાં નાયબ મામલતદારો ને હજુ સુધી છુટ્ટા કરાયા નથી !!

છુટ્ટા કરવા કે કેમ ?? જો છુટા કરાશે તો વહીવટી કામકાજો પર થનારી સીધી અસર

રાજ્ય સરકારના મહેસુલ વિભાગે નર્મદા જિલ્લાના મહેસુલ રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા 24 જેટલા નાયબ મામલતદારોની એક સામટી સામૂહિક બદલીઓ રાજ્ય ના અન્ય જિલ્લાઓમાં કરતા નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર સામે કચેરી ઓનું કામકાજ કઈ રીતના ચલાવવો એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે , એક સાથે નર્મદા જિલ્લામાંથી 24 નાયબ મામલતદારોની બદલીઓનો આ ઐતિહાસિક અને પ્રથમ જ બનાવ હોય કચેરીઓના કામકાજ ઉપર સીધી અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

નર્મદા જિલ્લામાં આમરેય તમામ સરકારી કચેરીઓમાં મહેકમની ભારે સમસ્યા છે, કચેરીઓમાં પૂરતો સ્ટાફ નથી કચેરીના વડાઓ પણ ઇન્ચાર્જમાં હોય તેમજ અનેક સરકારી જગ્યાઓ ખાલી હોય ને એવામાં રાજ્ય સરકારના મહેસુલ વિભાગે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા 24 જેટલા નાયબ મામલતદાર ની અન્ય જિલ્લાઓમાં બદલીઓ કરી નાખતા નર્મદા જિલ્લામાં વહીવટી કામકાજ કઈ રીતના ચલાવવું તે પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે બદલીઓ થયા ને પાંચ દિવસ થયા નાયબ મામલતદારોને પોતાની ફરજ ઉપરથી મુક્ત કરવામાં આવ્યા નથી.

જો બદલી થયેલા તમામે તમામ 24 નાયબ મામલતદારોને નર્મદા જિલ્લામાંથી ફરજ મુક્ત કરવામાં આવે તો કચેરીઓના કામકાજો ખોરંભે પડી જાય એવી પરિસ્થિતિ સર્જાતા જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર સમક્ષ નર્મદા જિલ્લામાં ખાલી જગ્યાઓ ઉપર નિયુક્તિ કરવામાં આવે એ દિશામાં રજૂઆત કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લામાંથી 24 નાયબ મામલતદારોની બદલીઓ તો થઈ પરંતુ તે સમયે જ તેઓની ખાલી જગ્યાઓ ઉપર તમામે તમામ 24 નાયબ મામલતદારોની નર્મદા જિલ્લા ખાતે અન્ય જિલ્લાઓમાંથી બદલી ઓ કરી નવી નિયુક્તિ કરવી જોઈએ તેની જગ્યાએ માત્ર એક જ નાયબ મામલતદાર ની નર્મદા જિલ્લામાં બદલીનો હુકમ મહેસુલ વિભાગે કર્યો છે!!

સમગ્ર જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં થી 24 નાયબ મામલતદારોની બદલીઓ કરી દેવાતા નર્મદા જિલ્લામાં 54 નાયબ મામલતદારોની ઘટ વિવિધ કચેરીઓમાં હાલ ઊભી થઈ રહી છે ત્યારે લોકોના કામકાજો કઈ રીતના થશે કચેરીઓ કઈ રીતના ચાલશે એ ખૂબ જ મોટો યક્ષ પ્રશ્ન હાલ બની રહ્યો છે.આ મામલે રાજ્ય સરકાર ના મહેસુલ વિભાગ ત્વરિત જ નાયબ મામલતદારોની બદલી ઓના મામલે યોગ્ય નિર્યણ લઈ લોકો ને આગામી દિવસોમાં કોઈ તકલીફ ના પડે કચેરીઓ ના વહીવટ સુપેરે ચાલે એ દિશા માં કાર્યવાહિ હાથ ધરે એ જરૂરી બન્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here