નર્મદા જીલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં પણ ૫ સહિત કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૮૨૧, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૦૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૯ દર્દીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૬૮૨ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૭ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૭ દર્દીઓ, હોમ આઇસોલેશનમા ૪૧ દર્દીઓ, ભરૂચ ખાતે ૨ અને વડોદરા ખાતે ૧૨ દર્દીઓ સહિત કુલ-૭૯ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૧,૬૬૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૯૧ જેટલાં જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૧૫ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૫ (પાંચ) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) સહિત કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૮૨૧, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૦૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૯ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૬૮૨ નોંધાવા પામી છે.

રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૫ (પાંચ) દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૭૧૫ દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮૮૫ દર્દીઓ સહિત કુલ-૧૬૦૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૪૧ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૭ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૭ દર્દીઓ, ભરૂચ ખાતે ૨ અને વડોદરા ખાતે ૧૨ દર્દીઓ સહિત કુલ-૭૯ દર્દી સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૬૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૬૧ સહિત કુલ-૪૨૧ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૫ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૧,૬૬૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૭ દર્દીઓ, તાવના ૨૩ દર્દીઓ, ઝાડાના ૪૧ દર્દીઓ સહિત કુલ-૯૧ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૯૫,૬૪૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૮,૯૯,૧૧૬ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here