નર્મદા જીલ્લામાં મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન તથા મામલતદાર કચેરી દ્વારા ગામે ગામ જઈને નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

EVM નિદર્શન જાગૃતિ અભિયાનને ઠેર ઠેર મળી રહેલો ભવ્ય પ્રતિસાદ

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા ના માર્ગદર્શન હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે. જિલ્લા સેવાસદન સહિત મામલતદાર ની કચેરી ખાતે તથા ગ્રામીણ વિસ્તારોમાં જઈને ટીમો દ્વારા મતદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી થકી નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની વિસ્તૃતમાં જાણકારી ઈન્સ્ટ્રક્ટરો દ્વારા આપવામાં આવી રહી છે. નાગરિકો દ્વારા આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here