નર્મદા જિલ્લામાં તા.૧૦ મીના રોજ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાના કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૩ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલામાં આજની સ્થિતિએ હોમ આઇસોલેશનમા ૧૬ પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૧ દરદી સહિત કુલ-૧૭ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૫,૩૨૯ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૨૮૪ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૦ મી જૂન, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજપીપલાના કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, આજની સ્થિતિએ હવે હોમ આઇસોલેશનમા ૧૬ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૧ દરદી સહિત કુલ-૧૭ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૬૦૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૦૯ સહિત કુલ-૧૧૧૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૨, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૦ મી જૂન, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૫,૩૨૯ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૮૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૨૩૩૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૬૯૪૯ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here