નર્મદા જિલ્લામાં કોરોનાનો આજે વધુ કોઇ નવો કેસ નોંધાયો નથી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવના કુલ ૬ દર્દીઓ સારવાર હેઠળ છે

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૩૨ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૮,૮૯૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૦ જેટલા જરૂરિયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૮ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા તમામ ૩૨ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. તદઉપરાંત આજે કુલ ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૨૩ પોઝિટીવ કેસો પૈકી હાલમાં કુલ-૬ દરદીઓ સારવાર હેઠળ છે.
નર્મદા જિલ્લામાં આજે તા. ૮ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૮,૮૯૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં કફના ૫૧ દરદીઓ, તાવના ૩૨ દરદીઓ અને ડાયેરીયાના ૨૭ દરદીઓ સહિત કુલ -૧૧૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here