રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ ૨ કેસના દર્દીઓ સારવાર હેઠળ 13 ને અપાઈ રજા
ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૪ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૧૫ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ આજે દ્વારા ૫૭,૯૫૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૨ જેટલા જરૂરિયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૩ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૪૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ કુલ-૨ કેસના દર્દીઓ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૧૪ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. તા.૧૯/૫/૨૦૨૦ ના રોજ મોકલાયેલ એક સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટીવ આવેલ છે, જ્યારે આજે ૧૫ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં આજે તા. ૨૩ મી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૭,૯૫૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૬૬ દર્દીઓ, તાવના ૨૪ દરદીઓ અને ડાયેરીયાના ૨૧ દરદીઓ, શ્વાસના-૧ દરદી સહિત કુલ -૧૧૨ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો ૧૧૬૪૧૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૬૨,૯૨૨ લોકોને વિતરણ કરાઇ હતી.