ધોરાજી,(રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કીના નાદ સાથે ધોરાજી જૈન સમાજ ભાવવિભોર બન્યો હતો ધોરાજી જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજીની સોની બજારમાં આવેલા જૈન દેરાસર ખાતે સમસ્ત જૈન સમાજના ભાઈઓ તથા બહેનોએ ભગવાન મહાવીરની પૂજા-અર્ચના તેમજ દર્શનનો લ્હાવો લીધો હતો.